પાર્થિવી અધ્યારુ શાહના કાવ્યસંગ્રહ સરયુ સ્નેહની સુરેલી સરવાણી એક બહુવિધ વિષયોને આવરી લેતાં કાવ્યોનો એક ઉમદા કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહના કવિયિત્રી પાર્થિવી અધ્યારુ શાહના ગુરુ, શ્રી સુધા ભટ્ટ કવિયિત્રીનું સુંદર શબ્દ ચિત્ર રજૂ કરે છે.

Saryu Snehni Surili Sarvani

300.00 270.00

Availability: 3 in stock

તેમના કહેવા મુજબ અપરંપાર વિષયો સાથે કાવ્ય સર્જન કરનાર કવિયિત્રિ લય, ગતિ, મન, વચન, કર્મ અને સમર્પણથી પણ આગળ વધીને માતૃભાષા વિશે વાત કરે છે. આ કાવ્યસંગ્રહના આશિર્વાદ પૃષ્ઠ પર લખતા સ્વામી શ્રી સચ્ચિદાનંદજી લખે છે કે આ કાવ્યસંગ્રહ પર એક નજર કરતા જ કવિયિત્રીની કલ્પના શક્તિ અને પોતાના વિચારોની વ્યક્ત કરવાની ક્ષમતા અને સૂક્ષ્મતા ધ્યાનમાં આવ્યા વગર રહેતા નથી. સચ્ચિદાનંદ સ્વામીશ્રીના કહેવા અનુસાર આ કાવ્યસંગ્રહના વિવિધ વિષયો છે અને કવિયિત્રીના વિવિધ ભાવો તેમાં વ્યક્ત થયા છે. તેમાં કુદરત પ્રત્યેનો પ્રેમ, તેની મહત્તા અને આધ્યાત્મિકતાનાં ભાવો પણ વણાયેલા છે.

Weight 0.336 g
Dimensions 19.3 × 22.5 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Saryu Snehni Surili Sarvani”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top