આ પુસ્તકમાં 52 જેટલા સંવાદોને એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જે બંને જાતિઓ એકબીજા માટે બોલી શકે. તેઓ કહે છે કે રાધા અને કૃષ્ણના નિર્મળ પ્રેમ જેવી અભિવ્યક્તિ દુન્યવી રીતે તો થઈ જ ન શકે. એક બાજુના પેજ ઉપર રાધાકૃષ્ણ નો પ્રેમ સંવાદ અને સામેના પેજ પર રાધાકૃષ્ણનો ફોટો અતિશય મનોહર લાગે છે અને પ્રેમ સંવાદના રસ માં ઉમેરો કરી દે છે. પોતાના પ્રિયજનને ભેટ આપવા માટે આ એક બહુ સુંદર પુસ્તક હોઈ શકે છે. ઘણી વખત આપણી પોતાની સંવેદનાઓને વ્યક્ત કરવા માટે આપણને જ્યારે શબ્દો જડતા નથી ત્યારે એ સંવેદનાઓ આપણને શબ્દરૂપમાં અહીં મળે છે.
આ એક માણવા, મમળાવવા જેવો સુંદર કાવ્ય સંગ્રહ છે. કવિયિત્રીના શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એક નવતર પ્રયોગ રૂપે લખાયું છે. કવિયિત્રી કહે છે કે, દરેક ક્ષેત્રમાં અવનવી શોધ થતી હોય તો સાહિત્યનું ક્ષેત્ર કેવી રીતે પાછળ રહી જાય.
Tu Ane Hu Ek Atarang Anubhuti
₹150.00 ₹135.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.