આદતથી સફળતા અને સફળતાની આદત કેળવવા માટે શું કરવું અને શું ન કરવું એની ચર્ચા બાદ લેખક અસફળતા નોંતરતી આઠ આદતો ગણાવે છે.

Aadat Thi Safalta Safaltani Aadat

200.00 180.00

Availability: 5 in stock

સફળતા માટે ધૈર્ય નામનો ગુણ કેટલો જરૂરી છે તે પણ ઉદાહરણ સાથે સમજાવે છે. નકારાત્મક આદતોનું મનોવૈજ્ઞાનિક પાસું વાચકો સમક્ષ વર્ણવી લેખક સાચાં દ્રષ્ટાંતો, સંશોધનો અને સામાજિક પાસાની પણ વ્યાપક ચર્ચા કરે છે. લેખક કહે છે જે સફળતાની આદત કેળવે છે એ જીતે છે. નિષ્ફળતા માટે ચૂકવવી પડતી કિંમત કરતાં સફળતા માટે ચૂકવવી પડતી કિંમત ઘણી ઓછી હોય છે એવું લેખક ભારપૂર્વક કહે છે. કોઈપણ પરિસ્થિતિમાં આપણા દ્વારા અપાતી પ્રતિક્રિયાની પસંદગીની અસર આપણી આવતીકાલ, આવતા મહિના અને આવતા વર્ષ પર કેવી રીતે પડે છે તે જાણવા પુસ્તક વાંચવું જ રહ્યું.

Shopping Cart