માણસોમાં શ્રવણ શક્તિ, બોલવાની શક્તિ, સૂંઘવાની તેમ જ જોવા સમજવાની શક્તિ, સ્પર્શ શક્તિ, વિચાર શક્તિ વગેરે ઉપર આ પુસ્તકમાં વિશદ છણાવટ જોવા મળે છે. આજે આપણે માનવીઓની શક્તિઓને કારણે જ ઘણુંબધું પામ્યા છીએ, અસાધ્ય રોગો સાધ્ય બન્યા છે, મુસાફરીનો સમય ઘટી ગયો છે, માનવીને આરામ અને આનંદ આપતા સાધનોમાં વધારો થયો છે. જો માણસો પોતાની શક્તિઓને ઓળખીને તેનો પૂરો ઉપયોગ કરી શકે તો તેઓ તેમના જીવનનો પૂર્ણ વિકાસ કરી શકે એવા ઉદ્દેશ્યથી લખેલું લખાયેલું આ પુસ્તક જીવનને પૂર્ણતા તરફ લઈ જવા માટે ખૂબ ઉપયોગી છે.
કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે એવી જ વાત ઉપર આધારિત છે આ પુસ્તક જેમાં લેખકે માનવીમાં છુપાયેલી અઢળક શક્તિઓ કેવી રીતે ખીલવી શકાય એની બહુ રોચક વાત કરી છે.
Karyashakti Vikas
₹200.00 ₹180.00
Availability: 1 in stock






Reviews
There are no reviews yet.