આ પુસ્તકમાં એવા સ્ત્રી પુરુષોની વાર્તાઓ વણાઈ છે કે જેમના નામ અને કામથી તેઓએ લોકમાનસ પર એક અસરકારક છાપ છોડી છે. આ સંગ્રહમાં તેમણે ભાવના કાંત, પ્રિયંકા રાધાકૃષ્ણન, આશ્રિતા વી. ઓલેટી, આશાલતા દેવી, રૂડોલ્ફ હેલ, પૌલોમી પાવની શુક્લા, અમ્રિત કૌર, ગેલેલિયો ફેરાસિસ, આલ્બર્ટ સ્વાઈત્ઝર, મેક્સ બોર્ન, રેમન્ડ વહાન ડેમેડીયન જેવા મહાનુભાવોની રસપ્રદ વાતો રજૂ કરી છે.
‘કોઈ ચાંદ કોઈ સૂરજ’માં લેખક શ્રી નટવર ગોહેલે ખૂબ જ સરળ ભાષાશૈલી દ્વારા મહાન વ્યક્તિઓ વિશે સુંદર વાતો રજૂ કરી છે. તેમણે દેશ વિદેશની દર્શનીય પ્રતિભાઓ વિશે તેમણે ખૂબ જ હળવી શૈલીમાં લખ્યું છે જેથી નાનકડા બાળકો પણ તે સમજી તેમાંથી પ્રેરણા લઇ શકે. ‘ફૂલવાડી’ બાળ સાપ્તાહિક દ્વારા વાચકોનો આદર પામેલી આ મહાનુભાવોની વાતો હવે ‘કોઈ ચાંદ કોઈ સૂરજ’ના નામે તમારા સુધી પહોંચી રહી છે. ‘કોઈ ચાંદ કોઈ સુરજ’ શૂન્ય માંથી સર્જન અને સર્જન માંથી નવસર્જન કરનારા પાત્રોની વાતો છે.
Koi Chand Koi Suraj
₹500.00 ₹450.00
Availability: 2 in stock









Reviews
There are no reviews yet.