સુખી જિંદગી જીવવાના ચમત્કારિક રહસ્યો
આ પુસ્તક એવા લેખક દ્વારા લખાયેલ છે કે જે ‘મિશન હેપ્પીનેસ’ ચલાવે છે. આમ સમજી શકાય છે કે પુસ્તકનું આ નામ કેટલું સાર્થક છે અને તે વાંચીને આત્મસાત કરવામાં આવે તો એ ચમત્કારિક રહસ્યો હકીકત બનીને વાચકની જીંદગીમાં અવતરે છે. પુસ્તકના મથાળા સાથે જ લેખક ઉમેરે છે “શાનદાર સુખ અને જબરદસ્ત જિંદગીનીતમામ જડીબુટ્ટીઓ માત્ર અને માત્ર આ એક પુસ્તક પ્રસાદમાં.” સાથે જ લેખક ઉમેરે છે, “વિચારો દિવ્ય, તો વિશ્વ ભવ્ય.”

SUKHI JINDAGI JIVAVANA CHAMATKARIK RAHASYO

700.00 630.00

Availability: 3 in stock

આ પુસ્તકનું પહેલું પ્રકરણ છે જીવન જીવવાનો હેતુ. હેતુથી શરુ થયેલ આ પુસ્તક વાચકને કુદરતનાં વિભિન્ન રહસ્યોની સફર કરાવે છે. પુસ્તકના આગળના પ્રકરણો કંઈક આ મુજબ છે, વિચારો એક માસ્ટર કી, અર્ધજાગ્રત મન, જાગ્રત મન અને વિચારો, ક્વોન્ટમ ફિઝિક્સ, વિચારો અને બ્રહ્માંડ, અર્થજાગ્રત મનની રચના(પ્રોગ્રામિંગ), સકારાત્મક અને નકારાત્મક વિચારો અને અર્ધજાગ્રત મન, રહસ્યમય સિદ્ધાંત, રહસ્યમય સિદ્ધાંતના પગથિયાં, વિઝયુલાઈઝેશન, માન્યતા એટલે શક્યતા, સુટેવો, ધ્યાન યાને કે મેડીટેશન, જીવન અને હાસ્ય, કૌટુંબિક સંબંધોમાં સકારાત્મકતા, કુદરતના શ્રેષ્ઠ સર્જનો માંથી સર્વશ્રેષ્ઠ સર્જન એટલે નારી, વિશ્વ શાંતિ કલયુગ ગણાતા વિશ્વના સતયુગના દ્વાર ખોલવાની માસ્ટર કી, અને સારાંશ સંદેશ જીવન એ માત્ર વન ટાઈમ ઓફર.

Shopping Cart