“કુંભલગઢ છે દુર્ગ મેવાડી, વાદળથી આ વાત કરે વિરાટબાહુ મંડલ દ્વારા અરવલ્લીને બાથ ભરે” શ્રી વણજારાસાહેબની ભાષામાં કહીએ તો તેમના ચાર કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્ય અને કાવ્ય જગતના ચાર વેદ સમાન છે, એવું કહ્યા બાદ તેઓ એમ પણ કહે છે કે આ કોઈ અતિશયોક્તિ નથી. પોતાના ચાર કાવ્યસંગ્રહોને તેઓ તેમના દ્વારા થયેલી રાષ્ટ્રવંદનાનું પ્રગટ સ્વરૂપ માને છે.
કવિશ્રીના શબ્દોમાં જોઈએ તો, “જેલ મહીં પણ બેઠો બેઠો, એક હુંકાર કરું છું માધવધારી શક્તિ દ્વારા, રણટંકાર કરું છું” ભારત દેશના ઇતિહાસ ઉપર કવિશ્રી ડી.જી.વણજારાની પકડ ખૂબ સારી છે. ઇતિહાસને તેમણે ન્યાયના ત્રાજવામાં તોલીને તેના પર ખૂબ જ સરસ વિવેચન કરેલું છે. તેમણે ભારત વર્ષના મહાન નેતાઓ અને વિદ્વાનોનો ઉલ્લેખ પ્રસ્તાવના દ્વારા કર્યો છે અને તેમની ઉપલબ્ધિઓને કાવ્ય દ્વારા બિરદાવી છે. રણટંકાર કાવ્યસંગ્રહના પાને પાને ભારત દેશના ઇતિહાસના ગૌરવગાન દેખાય છે. આ કાવ્ય સંગ્રહના એક કાવ્યમાં કવિ લખે છે,
RANTANKAR
₹400.00 ₹360.00
Availability: 5 in stock











Reviews
There are no reviews yet.