“ઉત્તુંગ હિમાલય-કારાકોરમ, ઉન્નત મસ્તક-મુકુટ અમર કમર-કંદોરો વિંધ્યાચલ છે, ભારત બખ્તર બંધ અમર” શ્રી વણજારાસાહેબની ભાષામાં કહીએ તો તેમના ચાર કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્ય અને કાવ્ય જગતના ચાર વેદ સમાન છે, એવું કહ્યા બાદ તેઓ એમ પણ કહે છે કે આ કોઈ અતિશયોક્તિ નથી. પોતાના ચાર કાવ્યસંગ્રહોને તેઓ તેમના દ્વારા થયેલી રાષ્ટ્રવંદનાનું પ્રગટ સ્વરૂપ માને છે.
આ કાવ્યસંગ્રહનું નામ જ સર્વેસર્વા છે જ્યાં રાષ્ટ્રપ્રેમની અદભૂત વાત ગંગાના પ્રવાહની જેમ વહે છે. કાવ્યસંગ્રહનો આ પ્રવાહ ક્યાંક વેગપૂર્વક તો ક્યાંક શાંત રીતે પ્રવાહિત થાય છે. ઇતિહાસની આબેહૂબ છબી જેવી તેમની રચનાઓ તેમના ભાવોને એક અસરકારક સંદેશની જેમ વાચકના મનમાં પ્રતિબિંબિત કરે છે. ખાખી વસ્ત્રે સન્યાસી છું, એવું કહેવાવાળા અને પોતાને દેશભક્ત, ઈશ્વરભક્ત અને ગુરુભક્ત તરીકે ઓળખાવવાવાળા કવિશ્રી રાષ્ટ્રભક્તિને સર્વોપરી મને છે અને કહે છે કે રાષ્ટ્રપ્રેમ જ છે, રાષ્ટ્ર વંદના, ગુરુ વંદના, વિશ્વ વંદના અને અસ્તિત્વ વંદના. આ કાવ્યસંગ્રહની એક મમળાવવા જેવી પંક્તિ છે.
SINHGARJANA
₹400.00 ₹360.00
Availability: 5 in stock











Reviews
There are no reviews yet.