હજાર શબ્દોનો નિબંધ સમજવામાં મદદ કરે છે 100 શબ્દોની વાર્તા. બોધ કથાઓના માધ્યમથી બાળકોના સફળ અને અસરકારક ઉછેરની ચર્ચા કરતું આ પુસ્તક માવતરોને અને વડીલોને ઉપયોગી સાબિત થશે એવું લેખક માને છે. આ પુસ્તકને ખરેખર તો પેરેન્ટિંગ માટેના એક આદર્શ નમૂના રૂપ પુસ્તક કહી શકાય કારણ કે બાળ ઉછેર ને લગતા તમામ મુદ્દાઓને સહજ રીતે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વડે આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ છે.

BAHERAMJI BAVA NI BODHKATHAO

500.00 450.00

Availability: 2 in stock

આ પુસ્તક ઘણી રીતે અનોખું છે જેમાં દરેક પ્રકરણની શરૂઆતમાં એક ખૂબ નાની પણ ખૂબ અસરકારક વાર્તા લેખક આપે છે અને ત્યાર પછી તેનું વિસ્તરણ કરી ખુબ સરસ વાત કહે છે. દરેક પેજ પર ખૂબ જ ટૂંકાણમાં, ઘણા અસરકારક સુવાક્યો આપેલ છે જે પુસ્તકમાં આપવામાં આવેલ કન્ટેન્ટ સાથે મેળ ખાય છે અને વાચક પર એક આગવી અસર છોડી જાય છે.
બાળકની સમજ ધીમે ધીમે ખીલતી જાય છે. તેની સમજ સાથે જ સુસંગત રીતે માવતરે કેવી રીતે વ્યવહાર કરવો અને તેને કેવી રીતે શિસ્તબદ્ધ રીતે જિંદગીમાં આગળ વધતાં શીખવાડવું તેની એક ખૂબ સરસ ગાઈડલાઈન આ પુસ્તકમાં લેખક શ્રી એ આપેલ છે. બાળકોના ઉછેર માટેની, બાળકો સાથે અપનાવવાની, ડાયરેકટિવ, કોચિંગ, પાર્ટિસિપેટિવ, ડેલીગેટિવ જેવી વિવિધ સ્ટાઈલ પર લેખક ઊંડાણથી ચર્ચા કરે છે.

Shopping Cart