ગ્રામ્ય વિસ્તારમાં વસતાં બાળકો હોય કે શહેરનાં બાળકો, આ પુસ્તક તે તમામને માટે સુવાચનની ગરજ સારે તેમ છે. વાંચનની સાથે જ, આ પુસ્તકમાંથી ઘડતરની સામગ્રી પણ આપોઆપ જ તેમને પ્રાપ્ત થઈ જશે. આ પુસ્તકની તમામ વાર્તાઓ ફૂલવાડી સાપ્તાહિકમાં છપાઈ ગયેલ છે અને લોકોનો સારો આવકાર પામેલ છે. આમ, આ આધુનિક ઘડતર કથાઓ ‘રોટલો અને ગોળ’ના નામે પુસ્તક સ્વરૂપે પણ લોકોનો સારો આવકાર પામી રહી છે.
રોટલો અને ગોળ એ શ્રી અવિનાશ પરીખ દ્વારા લખાયેલ આધુનિક ઘડતરકથાઓ છે. લેખક માને છે કે બાળ ઘડતર માટે ઉપદેશાત્મક શૈલીના પ્રયોગની આજના સાંપ્રત સમયમાં કોઈ જરૂર નથી કારણ કે કોઈના ઉપદેશ કે સલાહ બાળકોને ગમતા નથી. તેઓ માને છે કે આજનું બાળક અનોખું છે, અનેરું છે અને માટે બાળકોને જે ગમે છે તે જ તેમને પીરસવું જોઈએ.
ROTALO ANE GOL
₹500.00 ₹450.00
Availability: 2 in stock











Reviews
There are no reviews yet.